Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાસ્તા સેન્ટરમાં ચોરી કરવા ત્રાટકનાર બે ચોર રંગેહાથ ઝડપાયા

  • September 12, 2021 

સુરતના જહાંગીરપુરા-સરોલી બ્રિજ નજીક મહાકાળી ટી-નાસ્તા સેન્ટરમાં ગત રાત્રે ચોરી કરવા ત્રાટકનાર ચાર પૈકી બે ચોરને જહાંગીરપુરા પોલીસે રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન રંગેહાથ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જયારે ભાગી જનાર બે ચોરની શોધખોળ હાથ ધરી હતી.

 

 

 

 

 

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, જહાંગીરપુરા સ્થિત પ્રયોશા હોટલ નજીક પરિમલનગર સોસાયટીમાં રહેતો રાજનસિંહ ચંદ્રકુમાર ચૌહાણ (ઉ.વ.૩૦) જહાંગીરપુરા-સરોલી બ્રિજ નજીક નહેરની બાજુમાં મહાકાળી ટી-નાસ્તા સેન્ટર ચલાવે છે. ગતરોજ રાત્રે તસ્કરોએ મહાકાળી ટી-નાસ્તા સેન્ટરમાં ચોરી કરવા ત્રાટકયા હતા. તસ્કરો દરવાજાનું તાળું તોડી અંદર ઘુસી ગલ્લો તોડી રહ્યા હતા અને એ જ અરસામાં ત્યાંથી પસાર થઇ રહેલી જહાંગીરપુરા પોલીસને શંકા જતા તપાસ કરી હતી. જે અંતર્ગત ચોરી કરવા ત્રાટકનાર ચાર પૈકી બે ચોર મુકેશ ગોપાલ સોલંકી અને અશોક ઉર્ફે કાળીયો બાબુભાઇ સોલંકી (બંને રહે. રામજી મંદિરની સામે,વરાછા) ને ઝડપી પાડયા હતા. જયારે તેમના બે સાથીદાર ભાગી જવામાં સફળ રહ્યા હતા. જહાંગીરપુરા પોલીસે ચારેય વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી ભાગી જનાર બે ચોરની શોધખોળ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application