Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિનાં મોત

  • March 23, 2021 

સુરત શહેરનાં મગદલ્લાના ઓએનજીસી બ્રિજ પર સાંજના સમયે બે બાઈક ટક્કરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજા પામેલા બંને બાઇક સવાર વ્યક્તિના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

 

 

 

મગદલ્લા ઓએનજીસીમાં તાપી નદી કિનારે આવેલ ઝુપડપટ્ટીમાં રહેતા 50 વર્ષીય શ્રમજીવી નવલસિંગ અનિયા સીંગાળા સાંજે બાઈક પર કરિયાણાનું સમાન લઈને ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે મગદલ્લાના ઓએનજીસી બ્રિજ પર સુરેન્દ્ર જીતમલ સહાની બાઈકને નવલસિગની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને બાઇક ચાલકને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા.

 

 

 

આ ઘટનાની જાણ થતા ઇચ્છાપોર પોલીસ ઘટના સ્થળ પર પહોચીને કાર્યવાહી કરી બંનેના મૃતદેહ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના અંગે ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application