Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પત્ની સાથેના ઝગડાથી કંટાળી પતિએ ધાબા ઉપરથી નીચે છલાંગ લગાવતા મોત

  • September 05, 2021 

સુરતના પલસાણા ગામના ચંદ્રનગર ફળિયામાં રહેતા, વિરલભાઈ બુધિયાભાઈ રાઠોડ (ઉ.વ.30) નાઓ પલસાણામાં ચા ની દુકાન પર કામ કરી પોતાનું તથા ગુજરાન ચલાવતા હતા અને તેની માતા અને પત્ની સાથે રહેતા હતા. વિરલભાઈ અને પત્ની રોશની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સામાન્ય ઘર કંકાસ ચાલી રહ્યો હતો જે બાબતને લઈ વિરલભાઈએ ગત તા.02જી સપ્ટેમ્બરના રોજ રાત્રીના 11.30 વાગ્યાના અરસામાં પલસાણા પોલિસ સ્ટેશનની સામેની બાજુએ આવેલા લક્ષ્મી શોપિંગ સેન્ટરના ધાબા ઉપરથી નીચે ઝપલાવ્યું હતું જેથી વિરલભાઈને માથામાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application