Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં વરેલી ગામે ગેસ લીકેજ બાદ આગ લાગતાં બાળકી સહિત 3 દાઝ્યા

  • August 05, 2021 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ગામે શાંતિ નગરમાં રહેતા પાડોશીને ત્યાં ગેસ લિકેજની ગંધ શોધવા જતા આગ લગતા ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા.

 

 

 

 

બનાવ અંગેની માહિતી એવી છે કે, પલસાણા તાલુકાનાં વરેલી ગામ ખાતે આવેલ શાંતિનગર ગાયત્રી પેલેસની બાજુમાં પહેલા માળે રૂમ નંબર-14માં રહેતા સુબોધ કિશોરી યાદવ પોતાના પરિવાર સાથે રહે છે તેઓ કામ ઉપર હોવાથી સુબોધ કિશોરી યાદવની પત્નીએ પડોશમાં રહેતા અયોધ્યા પ્રસાદ યાદવને જણાવ્યુ હતું કે, ગેસની ગંધ ક્યાંથી આવે છે તે શોધવા માટે જઈ રહ્યા હતા.

 

 

 

 

તે સમયે પડોશમાં રહેતા પ્રહલાદભાઈ પણ રૂમમાં ગયા હતા અને તે સમયે અંધારું હોવાથી અયોધ્યા પ્રસાદે અજવાળું કરવા માટે માચીસ પ્રગટાવી અજવાળું કરવા જતાં ગેસ લીકેજ હોવાને કારણે આગનો ભડકો થતા અયોધ્યા પ્રસાદ યાદવ, પ્રહલાદ કુશવા તેમજ ત્યાં રમતી બાળકી પ્રિયા કુશવા દાઝી જતા 108 મારફતે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં અયોધ્યા પ્રસાદ યાદવને દાખલ કરાયા હતા તો બીજી તરફ આગનો ભડકો થતા આસપાસના લોકો ભેગા થઈ જતા લોકોએ આગને કાબુમાં લીધી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application