Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાનપુરાના અમુલ પાર્લરમાંથી રોકડ રકમની ચોરી

  • August 29, 2021 

સુરતના નાનપુરા સ્નેહમિલન ગાર્ડન પાસે આવેલા અમુલ પાર્લરને કોઈ અજાણ્યાએ નિશાન બનાવી ગલ્લામાંથી રોકડા 12 હજાર ચોરી કરી નાસી ગયો હતો.

 

 

 

અઠવા પોલીસના જણાવ્યા મુજબ, લસકાણા ગામ ભોળાનાથ નગર ખાતે રહેતા શૈલેશભાઈ રવજીભાઈ સિરોયાએ ગતરોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, નાનપુરા સ્નેહમિલન ગાર્ડન પાસે લાફિંગ બુધ્ધા સર્કલની સામે અમુલ પાર્લર આવેલ છે. ગત તા.25મીના રોજ રાત્રીના સુમારે કોઈ અજાણ્યાએ પાર્લરના પાછળના ભાગે આવેલ શટરનું લોક તોડી ઉંચુ કરી અંદર ઘુસી ગલ્લા માંથી રૂપિયા 12 હજાર ચોરી કરી નાસી ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application