Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આર્થિક તંગીને કારણે યુવકએ આત્માહત્યા કરી

  • March 14, 2021 

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારના યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. નાના વરાછામાં શક્તિ વિજય સોસાયટીમાં રહેતો અમિતભાઈ જયંતીલાલ હાથીવાલા (ઉ.વ.38) ને એક સંતાન છે અને તે પરિવારનું ભરણ પોષણ કરવા માટે સંચાખાતામાં નોકરી કરતો હતો. જ્યારે લોકડાઉન બાદ અમિતભાઈનું કામ બરાબર ચાલતું ન હતું જેના કારણે અમિતભાઈને નાણાકીય તકલીફ પડતી રહેતી હતી.

 

 

 

અમિતભાઈ સવારે નાના વરાછામાં આવેલા અમીદીપ શો-રૂમ પાસે ઝેરી દવા પી ગયા હતા. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application