Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાના કારેલી ગામે ફ્લેશ ફાયરમાં દાઝેલા દંપતી પૈકી પતિનું મોત

  • September 06, 2021 

સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામે એક પરપ્રાંતી પરિવારની મહિલા વહેલી સવારે ચા બનાવી રહી હતી જે અરસામાં ગેસ લીકેજ થતા આગ લાગતા મહીલા શરીરે દાઝી હતી પતિ પત્નીને બચાવવા જતા પતિ પણ દાઝયો હતો જેથી બંનેને હોસ્પિટલમાં દાલખ કર્યા બાદ બંને રજા લઈ ઘરે આવી ગયા હતા. ચાર દિવસ અગાઉ પતિનું માંદગી અને દાઝવાના કારણે મોત નીપજ્યું હતું. ઘટના અંગે પલસાણા પોલીસે જાણવા જોગ ફરિયાદ દાલખ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના જળગાવ જિલ્લાના અને હાલ પલસાણા તાલુકાના કારેલી ગામે આવેલ રાહી રેસિડેન્સીના 167 નંબરના મકાનમાં રેહતા સંજય ધર્મનાગો ઠાકુર (ઉ.વ.45)નાઓ પોતાના પરિવાર સાથે રહી છૂટક મજુરી કરી ગુજરાન ચલાવી રહ્યા હતા. ગત તા.18 જુલાઈના રોજ સવારે 6 વાગ્યા અરસામાં સંજયભાઈની પત્ની માયાબેન ચા બનાવવા ગેસ ચાલુ કરવા જતાં ગેસ લીકેજ થયો હતો અને આગ લાગતા શરીરે દાઝ્યા હતા જે ને બચાવવા જતા પતિ સંજયભાઈ પણ શરીરે દાજયા હતા જે બાદ દંપતીએ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાલખ કરવામાં આવ્યા હતા અને સારવાર બાદ બંને ઘરે પરત ફર્યા હતા સંજયભાઈ અગાઉ બીમાર રહેતા અને સારવાર બાદ પણ છેલ્લા કેટલાક દિવસોથી નાતંદુરસ્ત હતા ચાર દિવસ અગાઉ સંજયઠાકુરનું મોત નીપજ્યું હતું. પલસાણા પોલીસે આગની ઘટના અંગે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application