Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંખીંગા ગામે મકાન અને તબેલામાં આગ લાગતાં મોટું નુકશાન થયું

  • March 20, 2021 

સુરત શહેરના પલસાણા તાલુકાનાં માંખીંગા ગામે રહેતા યાકુબ સુલેમાન ખોલવડીયા પશુપાલનનો વ્યવસાય કરે છે અને તેમના જૂના મકાનમાં તેમણે ઘર વખરીનો સામાન મૂક્યો હતો. ઘરની સાથે જ પશુઓનો તબેલો આવેલ હોય આ મકાન અને તબેલામાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ તબેલામાં સંપૂર્ણ ફેલાઈ ગઈ હતી. તબેલામાં બાંધેલા 8 જેટલા પશુઓઓને યાકુબભાઈએ છોડી મૂકતાં તેમનો બચાવ થયો હતો. જ્યારે મકાનમાં રહેલ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

 

 

 

 

આ ઘટના અંગે પલસાણા ફાયર-બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર-બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળ પર આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ લાગેલ આગમાં ઘરવખરી સહિત અન્ય સમાન બળી જતાં મોટું નુકશાન થયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application