Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દંપતીએ સજોડે રસી લઈ વેકસીન સુરક્ષિત હોવાનો સંદેશો આપ્યો

  • March 21, 2021 

ગુજરાતમાં કોરોના વધતા જતા સંક્રમણને ધ્યાને લઇ રાજય સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં સુરક્ષાત્મક પગલાઓ લઈ રહી છે. પ્રતિદિન સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે સરકારે પણ તેને નિયંત્રણમાં લાવવા કમર કસી લીધી છે. સુરત શહેરના નાનપુરા ખાતે રહેતા પલસાણાવાળા દંપતીએ કોરોના વેક્સિન લઈને અન્ય સૌ કોઈને વેકસીન લેવાનો અનુરોધ કર્યો હતો. 

 

 

 

કોરોના પ્રતિરોધક રસીકરણનો કાર્યક્રમ હાલ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે ત્યારે શહેરના નાનપુરા ભાયામહોલ્લામાં રહેતા ૫૦ વર્ષીય મુકેશભાઈ પલસાણાવાળા અને ૪૫ વર્ષીય તેમના પત્ની જાગૃતિબેને નવી સિવિલમાં પ્રથમ ડોઝ લીધો હતો. વેક્સિન લીધા બાદ તેમના અનુભવો જણાવતા કહ્યું કે, હાલ શહેરમાં કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે આપણે સૌએ રસી લઈશું તો જ તેની સામે સુરક્ષિત રહી શકીશું. સરકારી હોસ્પિટલો ખાતે વિનામૂલ્યે રસીકરણ આપવામાં આવી રહ્યું છે તેનો સૌ કોઈને લાભ લઈને ઝડપથી વેકસીન મુકાવે તે જરૂરી છે. તેમણે કહ્યું કે, એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ સમજીને વેક્સિન લઈને પરિવાર સાથે અન્યોને પણ સુરક્ષિત રાખી શકીશું.

 

 

 

વધુમાં તેમણે કહ્યું કે, કેટલાક નાગરિકોમાં વેક્સિનને લઈને ભય છે પરંતુ વેક્સિનની કોઈ આડ-અસર નથી. ભારતના નાગરિકોએ પણ વેક્સિન લઇ આપણી ભાવી પેઢીને એક સુરક્ષિત વાતાવરણ આપવું જોઈએ તેમ દંપતીએ જણાવ્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application