Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Crime : મકાનમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી, પોલીસ તપાસ શરૂ

  • April 26, 2022 

સુરતનાં માંગરોળ તાલુકાનાં કુંવરદા ગામની સીમમાં આવેલ નાયલોન કોલોનીમાં એક મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જયારે મહિલાને માથાનાં ભાગે કુહાડી જેવા હથિયાર વડે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે કોસંબા પોલીસ સ્થળ ઉપર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાનાં બોરસી ગામનાં વતની અને હાલ જૂના કોસંબા ગામે રીવા સોસાયટીમાં રહેતા ભરતસિંગ રજેસિંગ ગિરાસે કે જેઓ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનું કુંવરદા ગામે નાયલોન કોલોનીમાં એક મકાન આવેલ છે. જે મકાન તેમણે નવેક માસ અગાઉ રવિન્દ્રભાઈ સોનજીભાઈ વસાવા (રહે.ઉમરાણ ગામ,ખાડી ફળિયું,તા.ડેડીયાપાડા) નાને ભાડેથી આપ્યું હતું. 

જેમાં રવિન્દ્ર તેમની પત્ની જશવંતીબેન સાથે રહેતા હતા પરંતુ રવિન્દ્ર છેલ્લા ચાર માસથી કોઈ કામ ધંધો કરતો ન હતો. જોકે ગત તા.22 એપ્રિલનાં રોજ જશવંતીબેનની ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી તેમજ તે દિવસથી પતિ રવિન્દ્ર પણ ગાયબ હોય જશવંતીબેનને માથાના ભાગે કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવી હોય રવિન્દ્ર પણ તે જ દિવસથી ગાયબ હોવાથી તે પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. બનાવ અંગે મકાન માલિકે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application