Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અનુસૂચિત જાતિ એકતા ગૃપ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ સ્વજનોને શ્રદ્ધાંજલિ અપાઈ

  • June 07, 2021 

બારડોલીના અનુસૂચિત જાતિ એકતા ગૃપ દ્વારા કોરોના મહામારીમાં સર્વજ્ઞાતિના સ્વજનોના મૃત્યુ થયા હોય તેમના આત્માની શાંતિ માટે વાઘેચા ખાતે તાપી નદીના કિનારે સરભોણ વિભાગ ગાયત્રી પરિવાર દ્વારા  ગાયત્રી યજ્ઞ યોજાયો હતો. જેમાં ગાયત્રી ઉપાસક વિજયભાઈ પંચાલે પૂજા કરાવી હતી. જે પરિવારો મૃત્યુ પામ્યા છે તે પરિવારોને વીડિયો કોંફ્રેન્સથી આશ્વાસન આપવામાં આવ્યું હતું.  આ પ્રસંગે અનુસૂચિત જાતિ એકતા ગૃપના અશોક પરમાર, વિજય વાઘેલા, રાકેશ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application