Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટા ભાઈએ ઠપકો આપતા સગીરાને માઠૂં લાગી આવતા આપઘાત કર્યો

  • March 30, 2021 

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 15 વર્ષીય સગીરાને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. સગીરા યુવક સાથે ફોન પર વાત કરતી હોવાથી તેના પરિવારના સભ્યોએ ઠપકો આપતા તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાંડેસરાના વડોદ ગામમાં રહેતી 15 વર્ષીય ખ્યાતિ પ્રજાપતિ (નામ બદલ્યું છે) સાંજે ઘરમાં ભાઈ-ભાભી દવાખાને ગયા હતા. તે સમયે ઘરમાં કોઈ ન હતું અને તે દરમિયાન સગીરાએ છતના સળિયા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 

 

 

 

સગીરા થોડા દિવસ અગાઉ સુરત ખાતે રહેતા મોટા ભાઈને ઘરે આવીને સુરત ફરવાની હતી. 5 થી 6 દિવસ પહેલા સગીરાએ નજીકમાં જ રહેતા યુવક સાથે ફોન પર વાતચીત કરતી હતી. 

 

 

 

આ અંગે તેના ભાઈતે જાણ થતા ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, તને વતન પિતા પાસે મોકલી આપવામાં આવશે અને આ વાતનું તેને માઠૂં લાગી આવતા આત્મહત્યાનું પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application