Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરસાદના કારણે ડીંડોલી રેલ્વે ગરનાળામાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું

  • September 15, 2021 

સુરતમાં વહેલી સવારથી પડી રહેલાં વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાતા જન જીવન પર અસર પડી રહી છે. જ્યાંથી રોજ હજારો લોકોની અવરજવર હોય છે તે ડીંડોલી રેલ્વે ગરનાળામાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. જયારે નોકરી ધંધા પર જવાનું હોવાથી લોકોએ મજબૂરીથી ભરાયેલા પાણી માંથી પસાર થવું પડી રહયુ છે.

 

 

 

 

 

સુરતમાં રવિવારથી શરૂ થયેલા વરસાદથી ગરમીમાં રાહત છે પરંતુ ગતરોજ રાતથી આજ સવાર સુધી વરસાદની ધમાકેદાર બેટિંગથી લોકોની હાલત કફોડી બની ગઈ છે. વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મૂશ્કેલી વધી છે. તેમાં પણ આજે વહેલી સવારે પડેલા વરસાદને કારણે ડીંડોલી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ ગયા હતા. આ ગરનાળાનો ઉપયોગ કરી હજારો લોકો નોકરી ધંધા પર જતા હોય છે. નોકરી પર પહોંચવાનું હોવાથી લોકો મજબૂરીના કારણે પાણી માંથી પસાર થતા હતા ત્યારે સંખ્યાબંધ લોકોના વાહન બંધ પડી ગયા હતા. દર વર્ષે વધારે વરસાદ પડે છે ત્યારે રેલ્વે ગરનાળા ઉપરાંત અન્ય જગ્યાની હાલત આવી જ થાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેને કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application