Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Fraud : વેયારી સાથે રૂપિયા 15.19 લાખનો કુર્તીનો જથ્થો ખરીદી પેમેન્ટ નહિ કરનાર અમદાવાદનાં દંપતી અને દલાલ સહિત ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

  • August 07, 2022 

સુરતનાં રીંગરોડનાં વેપારી પાસેથી રૂપિયા 15.19 લાખનો કુર્તીનો જથ્થો ખરીદી પેમેન્ટ સમયસર નહીં ચુકવી રાતોરાત દુકાનને તાળા મારી રફુચક્કર થઇ જનાર અમદાવાદના દંપતી અને દલાલ સહિત ત્રણ વિરૂધ્ધ સલાબતપુરા પોલીસમાં ફરીયાદ નોંધાય હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રીંગરોડની અંબાજી માર્કેટમાં સહજ ફેબ ટેક્સ નામે કુર્તીનો ધંધો કરતા હરીશ મોહનલાલ જૈન (રહે. કરૂણા એપાર્ટમેન્ટ, ભટાર ચાર રસ્તા, સુરત) નાને દલાલ નિલેશ રાજેન્દ્ર સુખવાણી (રહે.ગોલ્ડન પોઇન્ટ, રીંગરોડ) સાથે મે 2022માં મુલાકાત થઇ હતી.




જોકે નિલેશે અમદાવાદનાં ક્રિષ્ણા ગોપાલ એસ્ટેટમાં વેપાર કરતા ધર્મેશ રાજેશ વ્યાસ (રહે.પ્રહલાદ રેસીડન્સી, નરોડા, અમદાવાદ) સાથે મુલાકાત કરાવી હતી. નિલેશે પોતે ગુજરાતના જુદા-જુદા શહેર અને રાજય બહાર મોટા પાયે દલાલીનો ધંધો કરે છે અને સમયસર પેમેન્ટ અપાવશે. તેવી લાલચ આપી ધર્મેશ વ્યાસની માહી એન્ટરપ્રાઇઝના નામે 15 દિવસમાં પેમેન્ટના વાયદે રૂપિયા 15.19 લાખનો કુર્તીનો જથ્થાનો સોદો કરાવ્યો હતો.




જયારે હરીશે ટ્રાન્સપોર્ટ મારફતે રૂપિયા 15.19 લાખનો માલ મોકલી આપ્યો હતો. પરંતુ સમયસર પેમેન્ટ નહીં ચુકવતા હરીશે ઉઘરાણી શરૂ કરતા ધર્મેશ પત્ની કોમલના નામનો રૂપિયા 4 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ ચેક રીટર્ન થયો હતો અને રાતોરાત દુકાનને તાળા મારી ધર્મેશ રફુચક્કર થઇ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application