Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારએ રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા પલટી જતાં 1નું મોત

  • March 02, 2021 

સુરત શહેરનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે અલીફ નગરમાં રહેતો અબ્દુલસતાર અબ્દુલગની શેખ (ઉ.વ.45) પલસાણાથી ચલથાણ રીક્ષા ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. અબ્દુલસતાર રાબેતા મુજબ સાંજના 7 વાગ્યાના અરસામાં પોતાની રીક્ષા નંબર જીજે/21/વી/8972 લઈ પલસાણાથી મુસાફર ભરી ચલથાણ તરફ આવી રહ્યા હતા.

 

 

 

તે સમય દરમિયાન પલસાણાથી અમદાવાદની બાજુએ સ્પ્રેકટર્મ મિલની સામે સર્વિસ રોડ પરથી પસાર થતી વખતે સામેથી આવતી બ્લેરો કાર નંબર જીજે/05/આરબી/2633નાં ચાલકે રીક્ષાને ધડાકા ભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રીક્ષા પલટી જતાં તેમાં બેઠેલા ડ્રાઈવર સહીત અન્ય ત્રણ મુસાફરને ઈજાઓ પહોંચી હતી જે પૈકી એક અજાણ્યા મુસાફરનું સુરત ખાતે સિવિલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે મોત નીપજ્યું હતું.

 

 

 

આ અકસ્માત અંગે રીક્ષા ચાલકે કાર ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.       


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application