Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોડીરાત્રે રૂમનો દરવાજા ખોલી અજાણ્યા ઈસમોએ 2 મોબાઇલ ચોરી કરી ફરાર

  • September 11, 2021 

પાંડેસરા વિસ્તારમાં આવેલ કૈલાશ ચોકડી પાસે મણિનગર સોસાયટીમાં ગતરોજ યુવકનો ઘરનો દરવાજા આડો કરી અંદર સુઇ ગયો હતો. આ દરમિયાન ગતરોજ રાત્રે કોઇ અજાણયા ઇસમે ઘરનો દરવાજા ખોલી અંદર પ્રવેશી ચાર્જિંગમાં મુકેલા બે મોબાઇલ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે આખરે ભોગ બનનાર યુવકે પાંડેસરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંડેસરા કૈલાશચોકડી પાસે આવેલ મણિનગરમાં રહેતા જગ્ગ્નાથ રામદુલારે પ્રજાપતિ (ઉ.વ.૨૫) જે સુરતમાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. ગતરોજ રાત્રે જગન્નાથ ઘરનો દરવાજા આડો કરી અંદર સૂતો હતો. તે સમયે તેના ભાઇ અંકુશનો મોબાઇલ ચાર્જિંગમાં હતો. રાત્રે ૧૧થી બે વાગ્યાના અરસામાં કોઇ અજાણયા ચોર ઇસમે તેમના ઘરનો દરવાજા ખોલી અંદર પ્રવેશ્યો હતો. બાદમાં ઘરમાંથી અંકુશનો અને લવકુશનો એમ કુલ બે મોબાઇલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે સવારે જગન્નાથને જાણ થતા તેઓએ આ મામલે પાંડેસરા પોલીસે મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પાંડેસરા પોલીસે અજાણયા ઇસમ સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application