Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેરાલાના રાજયપાલ આરીફ મોહંમદ ખાને બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાત લિધી

  • March 28, 2021 

કેરાલા રાજયના રાજયપાલ આરીફ મોહંમદ ખાને સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાત લિધી હતી.

 

 

 

 

આ વેળાએ તેમણે જણાવ્યું હતું કે, બારડોલી આશ્રમએ રાષ્ટ્રીય તીર્થભૂમિ છે. અહીની મુલાકાત વેળાએ રાષ્ટ્રની આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનો યાદ તાજી થાય છે. અંગ્રેજોની ગુલામીની ઝંઝીરોમાંથી દેશને આઝાદ કરવા માટે અનેક વિરોએ પોતાના બલિદાનો આપ્યા છે. લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને તપસ્યાથી આઝાદી મળી છે.

 

 

 

 

ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પાવન ભૂમિ પર આઝાદી સાથે સંકળાયેલા સ્મૃતિ સ્થાનોની મુલાકાતથી નવા આત્મવિશ્વાસ અને આત્મબળનો સંચાર થાય છે. તેમના બલિદાનોને યાદ કરી નવી પેઢી આઝાદીના ઇતિહાસની સમજી તેમાથી પ્રેરણા લે તેવા આશયથી આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. સત્યાગ્રહીઓને સ્મરણાંજલિ આપવા એકવાર સ્વરાજ આશ્રમ બારડોલીની મુલાકાત લેવાનો અનુરોધ રાજયપાલશ્રીએ કર્યો હતો.

 

 

 

 

રાજયપાલએ સરદાર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ સાથે વાર્તાલાપ કરતા પોતાના માટે નહી અન્યોના માટે જીવવાની શીખ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application