Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડના ભટગામે તા.૨૯મી માર્ચ,૧૯૩૦ના દિવસે ગાંધીજી અને સત્યાગ્રહી સૈનિકોએ રાત્રિરોકાણ કર્યું હતું

  • March 30, 2021 

આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત યોજાયેલી ઐતિહાસિક દાંડી-યાત્રા તા.૧૨ માર્ચના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ વિવિધ જિલ્લાઓમાં પરિભ્રમણ કરી તા.૨૯મી માર્ચ સવારે ઉમરાછીથી નીકળીને બપોરે ૧૧.૦૦ વાગે એરથાણ પહોચશે. જયાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જયાંથી નીકળી ભટગામ ૬.૦૦ વાગે ભટગામ પહોચશે જયાં યાત્રીકોનું ગ્રામજનો દ્વારા સ્વાગત તેમજ ૭.૦૦ વાગે ભટ ગામે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. યાત્રીકો ભાટગામે રાત્રી રોકાણ કરશે. 

 

 

 

 

સવિનય કાનુનભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયાકિનારે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. ૧૨મી માર્ચ,૧૯૩૦ના રોજ ૭૯ સત્યાગ્રહીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડીના દરિયાકિનારા સુધી પદયાત્રા કરી હતી. આ ઐતિહાસિક યાત્રા ‘દાંડીકૂચ’ના નામે ઓળખાઈ. દાંડીયાત્રાનું અંતર અમદાવાદથી આશરે ૩૭૦ કિમી અંતર કાપી ૨૪ દિવસે દાંડી પહોચી હતી.

 

 

 

 

તા.૨૯મી માર્ચ,૧૯૩૦ના દિવસે ગાંધીજીના પાવન પગલાં દાંડીયાત્રા સ્વરૂપે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટગામમાં પણ પડ્યા હતાં. ગાંધીજી અને સત્યાગ્રહી સૈનિક એરથાણથી ભટગામ આવ્યા હતા. ગામની પ્રાથમિક શાળામાં ગાંધીજી અને તેમના સાથીઓએ રાત્રિરોકાણ કર્યું હતું. જેના સંભારણારૂપે ભાટગામમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગાંધીજીની દાંડીકુચના આજીવન સ્મૃત્તિરૂપે ઈતિહાસમાં અંકિત કરવા માટે ગામ ખાતે શાંત અને રમણીય વિસ્તારમાં ‘યાત્રી નિવાસ’ની સુવિધા ઊભી કરવામાં આવી છે. અહી નિર્માણ પામેલા ‘યાત્રી ભવન’માં પ્રવાસીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત, દાંડી કૂચની ઝલક દર્શાવતું રસપ્રદ પ્રદર્શન પણ છે.

 

 

 

 

''ઉપદેશ શબ્દ સહેલો છે, પણ તે આપવો અત્યંત કઠિન છે. તે માટેની માણસમાં યોગ્યતા હોવી જોઈએ. અહીં સૂરત જિલ્લામાં પણ મારા નિકટના પ્રસંગમાં આવેલા સાથીઓ પથરાઈ રહ્યા છે. તેમને મારો પરિચય હોવો જોઈએ, સરકારના પહાડ જેવા દોષો હું પહાડ જેવા બતાવી શકું છું, પણ આપણા રજ જેવડા દોષો હોય તો પણ એ મને પહાડથી મોટો લાગે છે. આજે મારા એ સ્વભાવનો પરિચય કરાવવા માગું છું. મારી સાથે સંઘ ચાલી રહ્યો છે. તેમને મેં કહી દીધું છે કે આપણી કૂચનું આ છેલ્લું અઠવાડિયું છે. આ છેલ્લા ૮ દિવસમાં આપણે સાવધાન થઈ જવું જોઈએ ને આત્મશુદ્ધિનો વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. હું કોણ, વાઈસરોય ઉપર પત્ર લખનાર, હું ગરીબ થઈને રહેતો હોઉં ત્યારે વાઈસરોયના મોટા ખર્ચ માટે લખી શકું ને, આપણે ગરીબને નામે નીકળીએ અને કૂચમાંના દરેક માણસ દીઠ ગરીબની કમાણીથી પ૦ ગણું લેતા હોઈએ તો એ કહેવાનો મને અધિકાર છે શું, હિંદુસ્તાનમાં દૈનિક આવક સાત પૈસા છે. તેનું પચાસ ગણું ખાતા હોઈએ એમ લાગે છે. હું આ વેણ બોલું છું તેથી ભાગવાનો છું એમ ન માનશો. પ્રતિજ્ઞા લીધી છે તે ફરવાની નથી. કાગડા કૂતરાને મોતે મરીશ પણ પાછા ફરવાનો નથી જ. તમે શાણાં હશો તો "સ્થાલીતંદુલ'' ન્યાચથી કેમ વર્તવું એ સમજી ગયા હશો.”

 

 

 

 

નાનાં-મોટાં નગરો-ગામોમાં સભાઓ કરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે કરવાનો છે તેની સાચી સમજ આપી. દાંડીયાત્રા જે ગામોમાંથી પસાર થતી ત્યાંના લોકો દ્વારા રસ્તાની સાફસફાઈ કરીને તોરણો બાંધી શણગાર કરવામાં આવતો તેમજ દરેક ગામમાં ગાંધીજી દ્વારા સભાને સંબોધન કરીને લોકોને મીઠાના અન્યાયી કાયદા વિરુદ્ધમાં જાગૃત્ત કરવામાં આવતા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application