Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉઘરાણી અને ધમકી ઓથી કંટાળી કારખાનેદારએ આપઘાત કર્યો

  • January 24, 2021 

અલથાણ ખાતે આવેલ એસએમસી આવાસમાં રહેતા 50 વર્ષીય અજય બંશરાજ સીંગ સાંજે તેમની પત્ની સાધનાબેન શાકભાજી લેવા ગયા હતા અને તે ઘરે એકલા હતા. ત્યારબાદ તેમના પત્ની સાધનાબેન શાકભાજી લઈને ઘરે પરત આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો, જેથી તેઓએ દરવાજો ખખડાવતા અંદર કોઈ જવાબ નહીં મળ્યો હતો. જેથી તેઓએ આજુ-બાજુના લોકોને અવાજ આપી બોલાવ્યા હતા અને ત્યારબાદ દરવાજો તોડવાંમાં આવતા અંદર પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

 

 

આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી કરીને મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં હતો.

 

 

અજયના પરિવારના સભ્યો જણાવ્યું હતું કે, અજયને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, તેઓ સચીન ખાતે યાન અને લૂમ્સ કારખાનું ધરાવતા હતા. લેણદારો નિલેશ, શૈલેષ, ગોવિંદ, સોની, અવાર-નવાર તેમના ઘરે જઈને તેમજ ખાતા ઉપર જઇ ઉઘરાણી કરતા હતા, અને ધમકીઓ પણ આપતા હતા. 28 લાખથી વધુની રકમ વિવાદ હોવાથી તે સતત માનસિક તાણ અનુભવતા હોવાથી આખરે આ પગલું ભરી લીધુ હોવાના આક્ષેપ તેમના પુત્રએ કર્યા હતા. આ સાથે તેમની પાસેથી મળેલી સુસાઇડ નોટ ઉલ્લેખ કર્યું હતું કે, લેણદારોના લીધે આ પગલું ભર્યું હતું અને રૂપિયાનો ઉલ્લેખ કર્યો છે આ અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application