Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં વાવાઝોડાથી થયેલ નુકશાનનું વળતર આપવા ખેડૂત સમાજે બારડોલી મામલતદારને આપ્યું આવેદન

  • May 21, 2021 

સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા તૌકતે વાવાઝોડાને લઈને થયેલા નુકસાનનું વાસ્તવિક વળતર આપવાની માગ સાથે બારડોલી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. 
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, તૌકતે વાવાઝોડાને કારણે સુરત જિલ્લાના ખેડૂતોને કેળાં, પપૈયાં, ડાંગર, કેરી, તલ વગેરે અનેક પાકો ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેતી પેદેશોના નુકસાનના વળતરની બાબતે દક્ષિણ ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સુરત જિલ્લાની સતત અવગણના કરવામાં આવે છે. જે રીતે અન્ય પ્રદેશોને નુકસાનનું પૂરેપુરું વળતર આપવામાં આવે છ. ત્યારે સુરત જિલ્લામાં થયેલા નુકસાનની સામે મજાક સમાન નહિવત જેવુ વળતર આપવામાં આવતું હોવાનું જણાવ્યુ હતું.

 

 

 

 

આથી, સરકાર દ્વારા યોગ્ય સર્વે કરાવી ખેડૂતોને થયેલા વાસ્તવિક વળતર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. એટલું જ નહીં જ્યાં સુધી ખેડૂતોના ખાતામાં રકમ જમા નહીં થાય ત્યાં સુધીમાં અસરગ્રસ્ત ખેડૂતોને એક એકર દીઠ રૂપિયા દસ હજાર રૂપિયાની કેશડોલ આપવામાં આવે, જેથી ખેડૂત નવો પાક ઊભો કરી શકે. આ આવેદનપત્ર સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ, બારડોલી તાલુકના ખેડૂત સમાજ પ્રમુખ અરવિંદ પટેલ, ખેડૂત અગ્રણી રાજેશ પટેલ સહિતના આગેવાનોએ બારડોલી મામલતદાર જીજ્ઞા પરમારને સુપ્રત કર્યું હતું અને તેમની વાત સરકાર સુધી પહોંચાડવા માટે વિનંતી કરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application