Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : 2 મિત્રોના અંગોના દાનથી 12 લોકોને મળ્યું નવજીવન

  • August 31, 2021 

સુરત શહેરના રૂસ્તમપુરાના સુરમાવાડના ચંદ્રદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા કલ્પેશકુમાર સોમેશ્વર પંડ્યાનો પુત્ર મીત (ઉ.વ.18) તેમજ બેગમપુરા ચેવલી શેરીમાં રહેતા અને બેગમપુરા મોટી સિનેમા પાસે ભજીયાની લારી ચલાવતા સંજયકુમાર પ્રવિણચંદ્ર ગાંધીનો પુત્ર ક્રીશ (ઉ.વ.18) શારદાયતન સ્કુલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. જોકે, મીત અને ક્રીસ બંને ખાસ મિત્રો હતા. તેમજ ધોરણ-1થી બંને સાથે અભ્યાસ કરતા હતા. મીત અને ક્રીશ ગત તા.24 ઓગસ્ટે બપોરે મોપેડ ઉપર જી.ડી.ગોએન્કા સ્કુલની સામેના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.

 

 

 

 

 

તે સમયે એક અજાણ્યા કાર ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સમા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સીટી સ્કેન કરાવતા મીત તેમજ ક્રીશને બ્રેઈન હેમરેજ તથા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. પરંતુ ગત તા.28મી ઓગસ્ટે ડોક્ટરની ટીમે મીત અને ક્રીશને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઇફના સંપર્ક બાદ બંનેના પરિવાર અંગદાન માટે સંમત થયા હતા.

 

 

 

 

 

ક્રીશ અને મીતની કિડની અમદાવાદની હોસ્પિટલને, લિવર અમદાવાદની હોસ્પીટલને, મીતનું હૃદય અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવ્યું હતું ત્યારબાદ ક્રીશના ફેફસાં હૈદરાબાદની હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. જ્યારે ક્રીશ અને મીતના ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના સ્વીકાર્યુ હતું.

 

 

 

 

 

સુરતની ખાનગી હોસ્પિટલથી હૈદરાબાદનું 926 કિ.મીનું અંતર 180 મીનીટમાં કાપીને ક્રીશના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેતા સી.આર.પી.એફ.માં ફરજ બજાવતા 54 વર્ષીય વ્યક્તિમાં હૈદરાબાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

 

 

 

 

 

જયારે ક્રીશના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેતા 55 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જયારે મીતના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ બાયડના રહેતા 47 વર્ષીય શિક્ષકમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

 

 

 

 

 

સુરતની ખાનગી હોસ્પિટલથી અમદાવાદનું 288 કિ.મીનું અંતર 90 મીનીટમાં કાપીને મીતના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાની રહેતી 21 યુવતીમાં ડોક્ટરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે દાનમાં મેળવવામાં આવેલી કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application