Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : અજાણ્યા વાહન અડફેટે આવતાં મોટરસાયકલ પર સવાર 2નાં મોત

  • May 06, 2022 

નવસારીથી છઠ્ઠીનો કાર્યક્રમ પતાવી મોટરસાયકલ પર પલસાણા પોતાના ઘરે પરત આવતા સગા સાઢુભાઈઓને પલસાણાની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા એકનું ઘટના સ્થળે તેમજ અન્ય ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના મિત્રએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બુધવારના રોજ પલસાણાનાં વીંઝોડિયા ગામે પાછલા ફળિયામાં રહેતાં નીતિનભાઈ ઠાકોરભાઈ હળપતિ પોતાની મોટરસાયકલ બજાજ પ્લેટીના GJ/19/BB/9959 પર સાઢુભાઈ નવીનભાઈ છોટુભાઈ રાઠોડને લઈ નવસારી ખાતે છઠ્ઠીના પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. ત્યારબાદ ત્યાંથી પરત ફરતી વખતે બુધવારે મોડી રાતે 10 વાગ્યાના અરસામાં પલસાણા ગામની સીમના સાબર હોટલની સામે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર મોટરસાયકલને પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બને મોટરસાયકલ સવાર રોડ પર પટકાયા હતા.



જેમાં નવીન રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તો નીતિનભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ લઈ જતી વખતે 108 એમ્બ્યુલન્સમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના મિત્ર હસમુખ હળપતિએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી પલસાણા પીએસઆઈએ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application