Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : રાંદેર રોડ તાડવાડી ખાતેના એક ડોકટરનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી, પોલીસ તપાસ શરૂ

  • November 08, 2023 

સુરતના રાંદેર રોડ તાડવાડી ખાતે પટેલ હોસ્પિટલ ધરાવતા ડો.ઉદય પટેલે જાતે જ પોતાના હાથમાં ઇન્જેકશન મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. બનાવની વિગત એવી છે કે, અડાજણના પટેલ નગર સોસાયટીમાં રહેતા ડો.ઉદયભાઈ કાંતિલાલભાઈ પટેલ (ઉ.વ.54) નાએ રાત્રે રાંદેર તાડવાડી ખાતે આવેલ પોતાની પટેલ હોસ્પિટલની અંદર જાતે જ એક હાથમાં વેન ફ્લો નાખી કોઈ ઈન્જેકશન મારી લીધું હતું. હોસ્પિટલ સ્ટાફને તેઓ બેભાન હાલતમાં મળી આવતા તુરંત જ અન્ય ડોક્ટરોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને તેમને ચેક કર્યા બાદ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટના અંગે રાંદેર પોલીસે જણાવ્યું હતું કે, ડો.ઉદયે ભરેલા પગલા અંગેની તપાસ ચાલી રહી છે. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની અને પુત્ર છે, જયારે પુત્ર અમેરિકામાં મેડીકલનો અભ્યાસ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News