Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં વાંકાનેર ગામે વિધવા મહિલાએ કુવામાં કુદી જીવન ટુંકાવ્યું

  • May 04, 2022 

બારડોલી તાલુકાનાં વાંકાનેર ગામે હીરાવાડી ફળિયામાં વિધવા મહિલાએ કુવામાં કુદી આત્મહત્યા કરી લીધી હતી. જોકે વિધવા મહિલાએ દુઃખ સહન ન થવાથી આ પગલું ભરી રહી છું એવું એક ચિઠ્ઠીમાં લખી કૂવામાં મોતનો ભૂસકો માર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પતિના અવસાન બાદ પુત્ર સાથે વાંકાનેર ગામે હીરાવાડી ફળિયામાં પોતાના પિયરમાં રહેતી સપનાબેન મહેન્દ્રભાઈ કોળીપટેલ માનસિક રીતે બીમાર રહેતી હતી અને તેમના પતિનું વર્ષો પહેલા અવસાન થયું હતું.



જેથી રવિવારે રાત્રે જમી પરવારી 11 વાગ્યે પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા હતા. બીજા દિવસે સોમવારે ઉઠીને જોતાં સપનાબેન બેડ પરથી ગાયબ હતા અને બેડ પરથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, ‘મારૂ દુઃખ સહન ન થવાથી હું આ પગલું ભરું છું મને રાતના ઊંઘ આવતી નથી અને આખી રાત જગ્યા કરું છું. મારી ભૂલ ચૂક માફ કરજો’ આ વાંચતાં જ પરિવારજનો ગભરાય ગયા હતા અને સપનાબેનની શોધખોળ શરૂ કરી હતી.



ત્યારબાદ પરિવાજનોને શંકા જતાં ફળિયામાં જ ચંદ્રકાંત મગનભાઈ પટેલના વાડામાં આવેલ કૂવામાં તપાસ કરી હતી જયારે કૂવામાં પડેલ વાસણ કાઢવાનું સાધન નાખી તપાસ કરતાં સપનાબેનની લાશ મળી આવી હતી. લાશ બહાર કાઢી પોલીસને જાણ કરતાં પોલીસે પોસ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application