Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેતર માંથી નવજાત બાળક મૃત હાલતમાં મળતા ચકચાર

  • August 28, 2021 

સુરતના અડાજણ પાલનપોર ગામમાં સ્કૂલ પાસે નવા બંધાતા બિટિડંગની બાજુમાં ખેતરમાં ગતરોજ એક નવજાત બાળક મૃત અવસ્થામાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે જાણ થતા અડાજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તાપસ શરૂ કરી હતી. બનાવને પગલે અડાજણ પોલીસે રાહદારીની ફરિયાદ લઇ અજાણી મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સિંગણપોર ડભોલી રોડ પર આવેલ માધવ મંદિર સોસાયટીમાં રહેતો ૨૮ વર્ષીય તિલક રતીલાલભાઇ લીંબાણી નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે. ગતરોજ તિલક સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં અડાજણ પાલનપોરગામ નિશાળ પાસે નોવા ગેલેક્ષી કન્સ્ટ્રક્શનના નવા બંધાતા બિલ્ડીંગની બાજુના ખુલ્લા ખેતર પાસેથી નીકળ્યો ત્યારે તેમને જાયું કે, ખેતરમાં કોઇ નવજાત બાળક પડ્યું છે જેથી તેમને તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ અજાણી મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે પાંચથી છ અધૂરા માસે બાળકને જન્મ આપી ત્યજી દીધું હતું. તિલકને આનવજાત નજરે પડ્યું તે પહેલા નવજાતનું મૃત નીપજી ચૂક્યું હતું. જેથી આખરે પોલીસે તિલકની ફરિયાદ લઇ અજાણી મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application