Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : અશ્વનિકુમાર ભવાની સર્કલ પાસે ફેક્ટરીમાં ભીષણ આગ

  • January 30, 2021 

સુરત શહેરના અશ્વનિકુમાર ભવાની સર્કલ પાસે કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતા આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

 

 

 

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ એકે રોડ ખાતેની શ્રી લબ્ધી નામની કાપડ મિલમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. ચાલુ મિલમાં આગ લાગતા અનેક મજુરો ફસાયા હતા. જે બાબતે તાત્કાલિક ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર-બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતા. જોકે મિલમાં મોટા પ્રમાણમા કાપડ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર-બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો અને ફસાયેલા મજુરોને ફાયર-બ્રિગેડની ટીમ  દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા શહેરના મ્યુ.કમિશનર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application