Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : બે ઝુપડામાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

  • September 12, 2021 

સુરતના ભરીમાતા રોડ પર સવારે બે ઝૂપડામાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, ભરીમાતા રોડ પર પાલીયા ગ્રાઉન્ડ જીલાની બ્રિજ નીચે આજરોજ સવારે અચાનક એક ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી જેને લીધે તેની બાજુમાં આવેલા બીજું ઝુપડું પણ આગની ઝપેટમાં આવ્યું હતું જેના લીધે ત્યાંના સ્થાનિક લોકોમાં ભારે ભાગદોડ થઈ જવા પામી હતી.

 

 

 

 

આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર ઓફિસર દિનુ પટેલ અને ફાયર જવાનો સાથે કતારગામ અને મુગલીસરા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે ધસી આવી ફાયર જવાનોએ સતત પાણીનો છંટકાવ કરતા આગ ફેલાવતા રોકી દીધી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જેના લીધે આસપાસના 4 થી 5 ઝૂંપડાઓ બચાવી લીધા હતા. જોકે, આગને લીધે ઝૂપડામાં મુકેલો સામાન સહિતની ચીજવસ્તુઓ નુકસાન થયું હતું. પરંતુ સદનસીબે આ બનાવમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઈ નહીં હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application