Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં ચલથાણ ખાતે રહેતા 62 વર્ષીય વૃદ્ધા ગુમ

  • December 11, 2021 

સુરતનાં પલસાણા તાલુકાનાં ચલથાણ નવા હળપતિવાસ ખાતે રહેતી વૃદ્ધા ઘરેથી નીકળ્યા બાદ પરત  નહીં ફરતા પરિવારજનોએ કડોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં ચલથાણ ખાતે નવા હળપતિવાસ (મરઘાફાર્મ)માં રહેતા ભાનુબેન શરદભાઈ રાઠોડ (ઉ.વ.62) કે જેઓ ઘરેથી ચલથાણ વિજયનગરમાં જાઉં છું કહી નીકળ્યા બાદ ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેમણી કોઈ ભાળ મળી ન હતી.તેઓ શરીરે મજબુત બાંધાની રંગે શ્યામ વર્ણની છે. જેની ઉંચાઈ આશરે પાંચ ફુટની છે તથા શરીરે લાલ કલરની સાડી પહેરેલ અને કમરે જાખો ગુલાબી કલરનો ચણીયો પહેરેલ છે તથા સિલ્વર કલરનુ જેકેટ પહેરેલ છે અને હાથમાં પીળા કલરની કાપડની થેલી છે. બનાવ અંગે પરિવારજનોએ કડોદરા પોલીસ મથકે તેમના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application