Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જોળવા ગામનાં 21 વર્ષીય યુવકે અગમ્ય કારણસર આપઘાત કર્યો

  • March 20, 2021 

સુરત શહેરના પલસાણા તાલુકાના જોળવા ગામેં આવેલ આરાધના લેકટાઉન વિભાગ-2માં આવેલ મકાન નંબર-181માં રહેતો 21 વર્ષીય યુવક જ્ઞાનેશ્વર અમૃતભાઈ પાટીલ (મૂળ.મહારાષ્ટ્ર) નાએ રાત્રીના  8 વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખા સાથે સાડી વડે ફાંસો બનાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ બાદ તેના સંબંધી દત્તરાજભાઈ એ જ્ઞાનેશ્વરને ચલથાણની સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા હતા જ્યાં ફરજ પરના ડોકટરએ જ્ઞાનેશ્વરને મૃત જાહેર કર્યો હતો.

 

 

 

આ બનાવ અંગે પલસાણા પોલિસે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application