Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અગમ્ય કારણસર 16 વર્ષીય વિધાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

  • January 27, 2021 

ડિંડોલીમાં ધોરણમાં 10મા અભ્યાસ કરતા વિધાર્થીએ પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા પારિવારમાં શોકની લાગણી ફરી વળી છે.

 

 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડિંડોલી ખાતે આવેલ માં આંનદી ટાઉનશીપમાં રહેતો 16 વર્ષીય ભાનુ પ્રતાપસીંગ ચૌહાણએ રાત્રે પોતાના ઘરમાં કોઈ કારણ સર ટેન્શનમાં આવી લોખંડની જાડી સાથે દુપટ્ટો બાંધી ફાસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તેનો ભાઈ તેને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ ફરજ ઉપરના તબીબીએ તેને મૃત જાહેર કર્યો હતો.

 

 

ભાનુપ્રતાપ હાલમાં દશમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેને અન્ય એક ભાઈ અને એક બહેન છે. તેના પિતા હયાત નથી. જોકે તેના આપઘાત ક્યાં કારણસર કર્યો છે તે હાલમાં જાણી શકાયું નથી. આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application