Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં યોજાયેલ વિનામૂલ્ય રસીકરણ કેમ્પમાં 200 વ્યક્તિઓએ લાભ લીધો

  • April 11, 2021 

અનુવ્રત સમિતિ તેમજ તેરાપંથ યુવક પરિષદના સંયુકત ઉપક્રમે તેરાપંથ ભવન બારડોલીમાં વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન તા.7મી અને 8મી એપ્રિલના રોજ રાખવામાં આવેલ હતું. જેમાં સત્યાગ્રહ હોસ્પિટલ લીમડાચોક બારડોલીના ડો.હેતલભાઈ, ડો.હરીશભાઈ મકાણી તથા એમની પૂરી ટીમ દ્વારા વિશેષ સેવા આપવામાં આવી હતી. આ વિનામુલ્ય રસીકરણ કેમ્પમાં લગભગ 200 વ્યક્તિઓએ લાભ લીધો હતો.

 

 

 

 

કેમ્પના આયોજનમાં પંકજભાઈ બડોલા તેમજ સુભાષભાઈ જૈનનો વિશેષ ફાળો રહ્યો હતો અને કેમ્પને સફળ બનાવવા અણુવ્રત સમિતિના અધ્યક્ષ પાયલ ચોરાડિયા, મંત્રી કેતન મેડતવાલ, સિદ્ધાર્થ દક, અંકુર મહેતા રાજુ ચોરાડિયા, સોનિયા બડોલા તેમજ તેયુષ અધ્યક્ષ મહાવીર દકની વિશેષ ઉપસ્થિત રહી હતી.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application