Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં ૧૯૬ કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ૨૯ દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ

  • June 06, 2021 

કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં સિવિલમાં દર્દીઓની સંખ્યામાં ધટાડો થયો છે એક સમયે ૧૨૦૦ થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં જયારે આજે સિવિલમાં ૧૦૦ની નીચે આવતાં તંત્રને મોટી રાહત થઈ છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ૮૯ દર્દીઓ પૈકી ૮૩ પોઝીટીવ દર્દીઓ છે જયારે ૦૬ નેગેટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વિગતે જોઈએ તો ૫ દર્દીઓ ઈન્વેઝીવ વેન્ટીલેટર, ૨૭ વેન્ટીલેટર, ૩૦ ઓકિસજન જયારે ૨૪ દર્દીઓ રૂમ એર પર સારવાર મેળવી રહ્યા છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.

 

 

 

 

સ્મિમેર હોસ્પિટલમાં ૧૦૭ દર્દીઓ પૈકી ૬૧ પોઝીટીવ, ૬ શંકાસ્પદ અને ૪૦  નેગેટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં ૬૧ પોઝીટીવ દર્દીઓ પૈકી ૮ વેન્ટીલેટર, ૧૮ બાયપેપ, ૩૨ ઓકિસજન પર અને અન્ય ૩ દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે. સ્મિમેરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application