Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુપ્રીમ કોર્ટનો સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર, સમલૈંગિકો માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ પણ આપ્યો

  • October 17, 2023 

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. તેમણે સમલૈંગિકોને બાળકો દત્તક લેવાનો અધિકાર આપ્યો હતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિકો માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ પણ આપ્યો હતો.સમલૈંગિક વિવાહ પર પોતાના નિર્ણયમાં CJIએ કહ્યંે હતું કે, દરેક વ્યક્તિને તેનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. આર્ટિકલ 21 હેઠળ સમ્માન સાથે જીવન એ મૂળભૂત અધિકાર છે.સરકારે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું જોઈએ.લગ્નને ચોક્કસપણે કાનૂની દરજ્જો છે, પરંતુ તે મૂળભૂત અધિકાર નથી.



કોર્ટે જણાવ્યું હતું કે લોકોને લગ્ન કરતા રોકવાનો કોઈને અધિકાર નથી, પરંતુ સંસદ દ્વારા બનાવેલા કાયદા દ્વારા જ આવા લગ્નોને કાનૂની દરજ્જો આપી શકાય છે. સરકારે આવા સંબંધોને કાનૂની દરજ્જો આપવો જોઈએ. જેથી કરીને તેને જરૂરી કાયદાકીય અધિકારો પણ મળી શકે. કેન્દ્ર સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટ આવા લગ્નને માન્યતા આપીને સંસદના અધિકારક્ષેત્રમાં દખલ કરશે.સમલૈંગિક લગ્ન પર ચુકાદો વાંચતી વખતે, CJIએ ટિપ્પણી કરી હતી કે, ‘અમારી સમક્ષ મૂળભૂત અધિકારોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેથી, અમારા નિર્ણયને કોઈના અધિકારક્ષેત્રમાં દખલ ગણવામાં આવશે નહીં. કોર્ટ કાયદો બનાવતી નથી, પરંતુ કાયદાનું અર્થઘટન કરી શકે છે. સમલૈંગિક મેરેજ એવો વિષય છે જે માત્ર શહેરી ઉચ્ચ વર્ગ પૂરતો મર્યાદિત નથી. દરેક વર્ગમાં આવા લોકો હોય છે. દરેક સંસ્થા સમય સાથે બદલાતી રહે છે. લગ્ન પણ આવી સંસ્થા છે. છેલ્લા 200 વર્ષોમાં, આ ફેરફારો સતી પ્રથા નાબૂદી, વિધવા પુનઃલગ્નથી લઈને આંતર-ધાર્મિક અને આંતર-જ્ઞાતિય લગ્નો સુધી થયા છે.



સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરનારાઓમાં ગે યુગલ સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ, પાર્થ ફિરોઝ મેહરોત્રા અને ઉદય રાજ આનંદ અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે.20થી વધુ અરજીઓમાંથી મોટાભાગની અરજીઓમાં સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગ કરવામાં આવી હતી.અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં આંતર-ધાર્મિક અને આંતરજ્ઞાતિય લગ્નો સુરક્ષિત છે.પરંતુ ગે યુગલો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. તેમની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં ગે યુગલોને કોઈ કાનૂની અધિકાર નથી. કાયદાની નજરમાં તેઓ પતિ-પત્ની ન હોવાથી, તેઓ એકસાથે બેંક ખાતું ખોલાવી શકતા નથી, તેમના પીએફ અથવા પેન્શનમાં તેમના પાર્ટનરને નોમિની બનાવી શકતા નથી. આ સમસ્યાઓ ત્યારે જ ઉકેલાશે જ્યારે તેમના લગ્નને કાનૂની માન્યતા મળશે.




નોંધનીય છે કે કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સામાજિક અને વહીવટી આધાર પર આ માંગનો વિરોધ કર્યો હતો. ભારતીય સમાજ અને તેની માન્યતાઓ ગે લગ્નને યોગ્ય માનતી નથી. કોર્ટે સમાજના એક મોટા વર્ગનો અવાજ પણ સાંભળવો જોઈએ.સોલિસિટર જનરલે એમ પણ કહ્યું હતું કે કાયદો બનાવવો કે તેમાં ફેરફાર કરવો સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે. કોર્ટમાં બેઠેલા કેટલાક લોકોએ એવો મોટો નિર્ણય ન લેવો જોઈએ જે સમાજમાં કાયમી પરિવર્તન લાવે. સોલિસિટર જનરલે એમ પણ કહ્યું કે સમલૈંગિક લગ્નનો મુદ્દો એટલો સરળ નથી. સ્પેશિયલ મેરેજ એક્ટમાં માત્ર નાના ફેરફારો કરવાથી ફાયદો થશે નહીં. સમલૈંગિક લગ્નની માન્યતા અનેક કાયદાકીય ગૂંચવણોને જન્મ આપશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application