Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સનરાઈઝ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન-સુરત દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદોને વંદન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ

  • July 26, 2023 

કારગીલ વિજય દિવસ નિમિત્તે સનરાઈઝ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન-સુરત દ્વારા શહીદોને વંદન સાથે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્વરાજભાઈ પોલ (ભૂતપૂર્વ જિલ્લા યુવા સંયોજક-એન.વાય.કે.એસ, યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય, ભારત સરકાર), શિવરાજભાઈ સાવળે (ભૂતપૂર્વ હેડ કોન્સ્ટેબલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ-BSF) અને સંસ્થાપક પ્રદિપ શિરસાઠે તાલીમાર્થીઓને કારગિલ વિજય દિવસ અને વીર જવાનોના બલિદાન વિશે જાણકારી આપી હતી. કાર્યક્રમમાં કુ.મંજુ પચાર, કુ. દીપિકા શર્મા, રિતિક દસબુડ, રાજ વાનખેડે પણ ઉપસ્થિત હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application