Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાનની ચડત લોન ના માનસિક તણાવમાં આધેડે જિંદગી ટૂંકાવી

  • November 13, 2022 

આ અંગેની વધુ વિગત મુજબ શહેરના જોશીપરા માં નંદન સોસાયટીમાં રહેતા એક પ્રોઢ વ્રજલાલ જીવરાજભાઈ યાદવ ઉંમર વર્ષ 59 એ મકાન પર લોન લીધી હતી પરંતુ તેના પૈસા ભરવાના બાકી હતા આથી તે પૈસા ભરવાની ચિંતામાં તેઓએ ગિરનારના 80 પગથિયા નજીકના જંગલ વિસ્તારમાં જઈ ઝેરી દવા પી અને પોતાની જિંદગી ટૂંકાવી લીધી હતી.


આ અંગે ભવનાથ પોલીસ ને જાણ થતાં ભવનાથ પોલીસ ત્યાં દોડી આવી હતી ત્યારબાદ પોલીસે વધુ તપાસ તથા કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીલખા નજીકના મેવાસા કમરીમાં રહેતા વંદનાબેન ધીરુભાઈ ગોરસીયાના અઢી વર્ષ પહેલા વિસાવદર માં લગ્ન થયા હતા લગ્ન બાદ પતિ પત્ની ની વચ્ચે અવાર નવાર ઝગડાઓ થયા કરતા હતા આથી ઝઘડાથી કંટાળીને બંને એ ત્રણ માસ પહેલા જ છુટાછેડા લઈ લીધેલ હતા જેથી વંદનાબેન ખૂબ જ ચિંતામાં રહેતા હતા. તેથી આ બાબતનું લાગી આવતા તેઓ એ પોતાના ઘરે ગળાફાંસો ખાય આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે બીલખા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application