Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નોકરી ન મળતા યુવાનનો આપઘાત

  • December 25, 2020 

નવસારી નજીકથી પસાર થતો નેશનલ હાઈવે નંબર-48 પાસે આવેલા સીસોદ્ર ગામના નાયકવાડી વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવાન મુકેશભાઈ રમેશભાઈ નાયકા  લોકડાઉન પહેલા કબીલપોર પાસે જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ લોકડાઉન બાદ લાગુ થયેલા અનલોકમાં તેને ફરીથી નોકરી ન મળતા તે હતાશામાં ધકેલાઈ જતા પોતાની ઘરની નજીક આવેલી ચીકુવાડીમાં જઈ ચીકુના ઝાડ ઉપર ગળે ફાસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

 

 

 

ઝાડ ઉપર યુવાનો લટકતો મૃતદેહ જોઈ સ્થાનિક લોકોએ નવસારી ગ્રામ્ય પોલીસ ને જાણ કરી ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોચી લાશનો કબ્જો લઈ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. માટે મોકલી આપી હતી. હાલ પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.(ફાઈલ ફોટો)  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application