ગાંધીનગર શહેર નજીક પીડીઇયુ રોડ ઉપર આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના પાંચમા વર્ષમાં અભ્યાસ કરતા પંજાબના વિદ્યાર્થીએ મોડી રાત્રે હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મામલે ઇન્ફોસિટી પોલીસ દ્વારા અકસ્માતે મોત દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, હોસ્ટેલમાં પાંચમાં વર્ષમાં અભ્યાસ કરતા પંજાબના ૨૧ વર્ષીય વિદ્યાર્થી વંશ પંકજકુમાર ગેન દ્વારા મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર તેની હોસ્ટેલના રૂમમાં દરવાજાના હેન્ડલ સાથે ચાદર બાંધીને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. આજે સવારના સમયે તે રૂમમાંથી બહાર નહિ આવતા અન્ય સાથી વિદ્યાર્થીઓ દ્વારા તેમના રૂમમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો.
તે દરમિયાન આ ઘટનાની જાણ થઈ હતી. જેના પગલે યુનિવસટીના સંચાલકોને બનાવથી વાકેફ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે ઇન્ફોસિટી પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને સ્થળ ઉપર પંચનામું કરીને આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જોકે પોલીસને રૂમમાંથી યુવાનની કોઈ અંતિમ ચિઠ્ઠી મળી આવી નથી તેમછતાં આપઘાતનું સચોટ કારણ જાણવા માટે સાથી વિદ્યાર્થીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તેના પરિવારને જાણ કરી દેવામાં આવતા તે પંજાબથી ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા છે. જોકે પોલીસ દ્વારા પરિવારની પણ પૂછપરછ કરીને આ વિદ્યાર્થીના અંતિમ પગલાં વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application