Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંબાજીથી પાલનપુર શ્રદ્ધાળુઓને લઈને જતી ST બસ પર પથ્થરમારો

  • February 19, 2024 

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર ખાતે યોજાયો હતો. પાંચ દિવસ ચાલેલ આ મહોત્સવ ઉત્સાહ સાથે ઉજવાઇને પૂર્ણ થયો હતો. જોકે મહોત્સવ પૂર્ણ થયા બાદ એક ST બસની પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે શ્રદ્ધાળુઓને કોઈ ડર ના રહે એ માટે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દાંતા માર્ગ પર પાલનપુર જઈ રહેલી એસટી બસ પર પથ્થર મારાની ઘટના બાદ ત્રણ બાઇકોને ઝડપી લીધી છે. ત્રણ બાઇક ચાલકોએ પથ્થર મારો કર્યો હોવાને લઈ પોલીસે આ દીશામાં તપાસ હાથ ધરી છે. બસ પર પથ્થરમારો કરીને અસામાજીક શખ્શો ઝાડીઓમાં પલાયન થઈ ગયા હતા. પથ્થરમારાને લઈ બસનો કાચ ફૂટ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application