Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો

  • September 20, 2024 

મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતા ભારે તણાવ સર્જાયો છે. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. જોકે પોલીસે યોગ્ય સમયે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને કાબુ કરવા પ્રયાસો કર્યા હતા. પોલીસે લોકોને વિખેરવા માટે ટિયર ગેસનાં શેલ પણ છોડ્યા હતા. હાલ વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા ભારે પોલીસ દળ ખડકાવવામાં આવ્યો છે.


મળતી જાણકારી મુજબ, પોલીસે ટિયર ગેસના શેલ છોડતા પહેલા બંને પક્ષોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ બંને પક્ષોમાંથી એકેય પોલીસની વાત ન માનતા ભીડ વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા. હાલ આ ઘટના અંગેનો એક વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે જેમાં લોકો પથ્થરમારો કરતા દેખાઇ રહ્યા છે. પથ્થરમારાની આ ઘટના નંદુરબારના માલીવાડી વિસ્તારમાં બની હતી. પહેલા બંને પક્ષો વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો જે બાદમાં ઉગ્ર થતાં બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારા ઉપરાંત ગાડીઓમાં તોડફોડ ઉપરાંત આગચંપી પણ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે હાલ સમગ્ર વિસ્તારમાં અશાંતિ ફેલાઇ છે. નંદુરબારમાં માલીવાડી વિસ્તારમાં આટલી મોટી ઘટના કઇ રીતે બની, એ તપાસનો વિષય છે. પથ્થરમારો કરનારા કોણ હતા, આગચંપી કરનારા કોણ હતા, આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સાથે સ્થિતિને કાબુમાં રાખવા માટે ખૂબ સાવચેતી પણ રાખી રહી છે. જો કે, પોલીસ કે તંત્ર દ્વારા આ અંગે હાલ કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News