Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અધિકારીઓની ધીમી કાર્યવાહીને કારણે કોરોનાથી મૃત્યુ પામેલા રાજ્યના અધ્યાપકોને હજી પેન્શન ન મળતા ઉચ્ચ શિક્ષણ કમિશનરને કરાઈ રજૂઆત

  • October 06, 2021 

કોરોનાની શરૂઆતથી લઈને બીજી લહેરના અંત સુધીમાં અનેક લોકોના કોવિડ સંક્રમણને કારણે મોત થયાં છે. જેમાં કોલેજ અને યુનિવર્સિટીઓના અનેક અધ્યાપકોનો મોત થયાં છે જેમાં 40 અધ્યાપકોને મૃત્યુ બાદ મળનાર પેન્શનની ધીમી કાર્યવાહીને કારણે પેન્શન આજદિન સુધી મળ્યું નથી. જેથી અધ્યાપક મંડળે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરને પત્ર લખીને ઝડપથી પેન્શન આપવામાં આવે તેવી માંગણી કરી છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે ઉચ્ચ શિક્ષણ કમિશનરને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતની જુદી-જુદી કોલેજો અને યુનિવર્સિટીમાં કાર્યરત અધ્યાપકો કુદરતી અને કોરોનાની ભયંકર મહામારીનો ભોગ બન્યા છે.

 

 

 

 

 

કોરોનાને કારણે ગુજરાતના 40 કરતા વધારે અધ્યાપકોના અવસાન થયા છે. આ અવસાન પામેલા અધ્યાપકોને નિયમ અનુસાર મળવાપાત્ર ફેમિલી પેન્શન હજુ સુધી મળ્યું નથી અને ફેમિલી પેન્શન અંગેની કાર્યવાહી પણ કચેરી દ્વારા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે જેના કારણે તેમના પરિવારોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. અવસાન પામેલા અધ્યાપકોના કિસ્સાઓમાં પરિવારને આર્થિક મુશ્કેલી ના પડે તે માટે માનવતાના ધોરણે ખાસ કિસ્સામાં કાર્યવાહી કરી તાત્કાલિક તેમના પરિવારજનોને ફેમિલી પેન્શન અને અન્ય મળવાપાત્ર રકમની કાર્યવાહી સત્વરે કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application