Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:નવી કુઈલીવેલ સહિતના ગામડાઓમાં ધાબળાઓનું વિતરણ કરાયું

  • January 06, 2021 

સોનગઢ તાલુકાના છેવાડા ના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે મુંબઈ ની સંસ્થા આગળ આવી છે.

 

 

જેમા તાલુકાના નવી કુઇલીવેલ,ખેરવાડા, સી઼ંગલવાણ, સામરકુવા,માંડવીપાણી,ફતેપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામડાઓમાં જરૂરિયાતમંદ પરિવારોને  કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ  તારીખ 2-જાન્યુઆરી 2021 ના રોજ બીજલબેન જગડ, ઘાટકોપર-થાણા, ડીસ્ટ્રીક્ટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ-મુંબઈ અને લીલાબેન હિંમતલાલ  હરગોવનદાસ મોરવાડિયા ટ્રસ્ટ દ્વારા 384 કુર્તી સેટ વિતરણ કરવામાં આવ્યું હતું  અને બીજલ જગડ દ્વારા 200 જેટલા ધાબળાઓનું વિતરણ કરાયું હતું.

 

 

જેમાં  જયસીંગભાઈ વસાવા ખેરવાડાવાળા, સ્વામી વિવેકાનંદ યુવક મંડળ-ભટવાડાના સહકાર થી કીટ વિતરણ કરવામાં આવી હતી. તમામ લાભાર્થીઓએ મુંબઈ ની સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application