Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બનાસકાંઠામાં પુત્રએ નજીવી બાબતે માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી

  • April 13, 2025 

બનાસકાંઠામાં પુત્રએ નજીવી બાબતે માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી હોવાની ચોંકવનારી ઘટના સામે આવી છે. માતાનું મોત નીપજાવીને પુત્ર પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું. સમગ્ર મામલે વડગામ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના વડગામ તાલુકાના શેરપુરા ગામ ખાતે પુત્રએ પોતાની માતાની સામાન્ય બાબતમાં હત્યા કરી દીધી હતી.


બુધવારના રોજ 50 વર્ષીય મધુબહેન કટારિયા ઘરની આગળ વાસણ ઘસી રહ્યા હતા, તેવામાં તેમનો 26 વર્ષીય પુત્ર પરિમલ આવીને મધુબહેનને આડેધડ માથાના ભાગે પાવડાના ઘા મારવા લાગ્યો હતો. આ ઘટનામાં મધુબહેનનું મોત નીપજ્યું હતું. માતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપી પુત્ર દાંતા પોલીસ સ્ટેશન ખાતે આત્મ સમર્પણ કરવા પહોંચ્યો હતો. જોકે આરોપી વડગામ પોલીસ સ્ટેશન હદમાં આવતો હોવાથી વડગામ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે આરોપીના પિતાએ જણાવ્યું હતું કે, 'પરિમલનો છેલ્લા બે વર્ષથી ચીડિયો સ્વભવ થઈ ગયો હતો અને તે લોકો સાથે ઝઘડો કર્યા કરતો હતો. બનાવની દિવસે માતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી.'




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application