Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીના કેટલાક વેપારીઓએ બાંગ્લાદેશનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો

  • December 26, 2024 

છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમાજ પર હુમલાઓ થઈ રહ્યાં છે. આ વચ્ચે દિલ્હીના કેટલાક વેપારીઓએ બાંગ્લાદેશનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.  રિપોર્ટ મુજબ, કાશ્મીરી ગેટ સ્થિત ઓટો પાર્ટ્સના વેપારીઓએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓના કારણે પાડોશી દેશ સાથેના વેપારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. વેપારીઓએ કહ્યું કે, હિંદુઓ સાથે બાંગ્લાદેશમાં અન્યાય થઈ રહ્યો છે. હિંદુ મંદિરો પર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે જ હિંદુ ભાઈઓની હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે બાંગ્લાદેશ સાથે વેપાર કરવો યોગ્ય નહોવાનું તેમણે કહ્યું હતું. લગભગ ૨,૦૦૦ જેટલી દુકાનોએ બાંગ્લાદેશને એક્સપોર્ટ કરવાનું બંધ કરી નાખ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application