Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજનાં ઉંભેળ ગામે બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો દાગીના અને રોકડ ચોરી કરી ફરાર

  • March 04, 2025 

સુરત જિલ્લાનાં કામરેજનાં ઉંભેળ ગામે બંધ ઘરને નિશાન બનાવીને તસ્કરો સોના ચાંદીનાં દાગીના અને રોકડા મળી કુલ ૨૯,૫૦૦/-ની મતા ચોરી કરી ગયા હતા. ઘટના બાદ પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, કામરેજ પોલીસ મથકની હદમાં આવેલા ઉભેળ ખાતે મકાન નં.૪૦૧ રોયલ એવન્યુ બિલ્ડીંગ નં-એ સોહન પાર્કિંગની બાજુમાં રહેતા અજયભાઈ રમેશભાઈ રાઠોડ અને તેમનો પરિવાર કામ અર્થે સવારે ઘરે તાળુ મારી બહાર ગયો હતો.


તે દરમ્યાન અજાણ્યા તસ્કરે બંધ ઘરને નિશાન બનાવ્યું હતુ. જોકે તસ્કરો ઘરનાં દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ્યા હતા. જે બદા કબાટમાં મુકાયેલા ૪ હજાર કિંમતનાં બે સોનાનાં પેંડલ, ૩ હજાર ૫૦૦ કિંમતનાં એક જોડ ચાંદીનાં સાકડા તથા ૨૨ હજાર રોકડા લઈને તસ્કર ફરાર થઈ ગયો હતો. રાત્રીનાં ઘરે પરત ફરેલા પરિવારે ઘરના દરવાજે તાળુ તૂંટેલી હાલતમાં જોતા તેમણે ઘરમાં તપાસ કરી હતી. આ સમયે સોના ચાંદીનાં દાગીના અને રોકડ રકમ મળી કુલ ૨૯,૫૦૦/- રૂપિયાની મતા ગાયબ હતી. આથી પરિવારને ઘરમાં ચોરી થયાનું સમજાયું હતુ. ત્યારબાદ સમગ્ર ચોરીની ઘટનાં અંગે કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી. હાલ પોલીસે અજાણ્યા ચોર તસ્કર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application