Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈમાં છઠ્ઠ પૂજાની ઉજવણી : ગુમ થયેલ 164 બાળકોને મુંબઈ પોલીસે શોધી કાઢ્યા

  • November 21, 2023 

છઠ્ઠ પૂજાની ઉજવણી દરમિયાન શહેરના વિવિધ સી-ફ્રન્ટસ પરથી ગુમ થયેલા 164 બાળકોને મુંબઈ પોલીસે ફક્ત ૧૨ કલાકમાં શોધી કાઢી તેમનું પુનર્મિલન તેમના પરિવાર સાથે કરાવ્યું હતું. આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ બાળકો ૩થી ૧૩ વય જૂથના હતા અને જુહુ, વર્સોવા અને સાંતાક્રુઝના દરિયા કિનારા પરથી ગુમ થઈ ગયા હતા. કારણ કે રવિવાર સાંજથી સોમવાર સવાર સુધીના સમય ગાળામાં અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું અને આ ધસારામાં બાળકો છૂટા પડી ગયા હતા.



મુંબઈના ઘણા રહેવાસીઓ અને થાણે તેમજ પાલઘર જિલ્લાના વિસ્તૃત ઉપનગરોમાંથી આવેલા લોકો સૂર્ય નારાયણની પૂજા સહિત ધાર્મિક વિધિઓ કરવા માટે મોટી સંખ્યામાં દરિયા કિનારે ભેગા થયા હતા. છઠ પૂજાનો તહેવાર મુખ્યત્વે બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને નેપાળના કેટલાક ભાગના વતનીઓ દ્વારા ઉજવવામાં આવે છે. એક અધિકારીના જણાવ્યાનુસાર જુહુ, વર્સોવા, સાંતાક્રુઝમાં છઠ પૂજાના કાર્યક્રમમાં સાડા ત્રણ લાખથી પણ વધુ ભક્તોએ હાજરી આપી હતી.



આ ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે જરૃરી વ્યવસ્થા કરી હતી. પોલીસ કન્ટ્રોલ રૂમને સાંતાક્રુઝમાંથી ૮૮, જુહુમાંથી ૭૫ અને વર્સોવા બીચ પર સાગર કુટીરમાંથી એક બાળક ગુમ થયાની માહિતી મળી હતી. તમામ ૧૬૪ ગુમ થયેલા બાળકોને શોધી કાઢી સ્થાનિક કન્ટ્રોલ રૂમમાં લાવવામાં આવ્યા હતા. આ બાળકોની ઓળખ સ્થાપિતકર્યા બાદ તેમનું મિલન તેમના પરિવારજનો સાથે કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application