જામનગર જિલ્લાના નાની ખાવડી ગામની સીમમાં એક યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી છે. માહિતી મળતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી હતી. પોલીસે અત્યારની ઘટના બાદ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. રાત્રે ઘરેથી નીકળી ગયેલા યુવકની હત્યા શા માટે થઈ તે અંગે રહસ્ય ઘેરાયું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાની ખાવડી નજીક આવેલી સીમમાં બલભદ્રસિંહ વનરાજસિંહ જાડેજા નામના યુવાનનું ગળું અજાણ્યા આરોપીએ બેરહેમીપૂર્વક તીક્ષ્ણ હથિયાર વડે કાપી નાખ્યું હતું અને ફરાર થઈ ગયા હતા.
ત્યારબાદ લોહિયાળ હાલતમાં લાશ મળતા પોલીસને જાણ કરાઈ. આથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક યુવાનની ગતરાત્રીથી તેમના ઘરેથી બહાર જતો રહ્યો હતો અને ત્યારબાદ તેની લાશ આજરોજ મળી આવી છે. આ યુવાનની ક્યાં કારણસર હત્યા નીપજાવવામાં આવી છે, તે મામલે હજી કોઈ ચોક્કસ માહિતી પોલીસને મળી નથી. હત્યાનું કારણ જાણવા તો પોલીસ જ દિશામાં તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application