Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાસિકમાં ગંભીર બસ દુર્ઘટનાં : મુસાફરો ભરેલી બસમાં આગ લાગતાં 11 લોકોનાં મોત

  • October 09, 2022 

મહારાષ્ટ્રનાં નાસિકમાં ગંભીર બસ દુર્ઘટનાં સર્જાઈ હતી જોકે આ દુર્ઘટનામાં 11 લોકોનાં જીવ ગયા છે તેમજ મહારાષ્ટ્રમાં મુસાફરો ભરેલી બસમાં આગ લાગી ગઈ હતી. જેમાં 11 લોકો જીવતા સળગી ગયા છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ કરૂણ અકસ્માતમાં એક બાળકનું પણ મોત થયું છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.




ઘટના સમયે બસ યવતમાલથી મુંબઈ તરફ જઈ રહી હતી. આ ઘટના સવારે 4:00 વાગ્યા આસપાસ બની હતી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે સરકારે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચાલતી બસમાં આગ લાગી હતી. બીજી તરફ કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ હતી અને ત્યારબાદ આગ લાગી હતી.




જોકે આ અકસ્માતમાં ભોગ બનેલી બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. જેમાં લગભગ 11 લોકોના મોત થઈ ગયા છે. તેમા એક બાળક પણ સામેલ છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. સીએમ શિંદે સતત જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, ઘાયલોની સારવારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે અને પીએમ નેશનલ રીલીફ ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખા રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી હતી. દુર્ઘટનાગ્રસ્ત બસ યવતમાલથી મુંબઈ જઈ રહી હતી. આ અકસ્માત સવારે 4:00 વાગ્યાની આસપાસ બન્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના સમયે મુસાફરો સૂઈ રહ્યા હતા અને તેમને બચવાની તક મહોતી મળી. આંકડા દર્શાવે છે કે, આ દુર્ઘટનામાં લગભગ 25 લોકો દાઝી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application