Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રયાગરાજમાં ગંભીર અકસ્માત : ટ્રક અડફેટે આવતાં પાંચ લોકોનાં ઘટના સ્થળ ઉપર કમકમાટીભર્યા મોત નિપજ્યાં

  • June 24, 2024 

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક ગંભીર અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે. જોત જોતામાં આખા પરિવારે જીવ ખોઈ નાખ્યો છે. મૃતક પાંચેય લોકો જૌનપુરમાં રહેતા હતા અને તેઓ પ્રયાગરાજના સરાયમમરેજમાં એક લગ્ન સમારંભમાં ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલો મુજબ, એક જ પરિવારના પાંચ લોકો એક જ બાઈક પર લગ્ન સમારંભમાંથી પરત પરી રહ્યા હતા. આ દરમિયાન ફુલ સ્પીડે આવી રહેલી ટ્રકે તેમની બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં પાંચેયના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.


ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે વહિવટીતંત્રને તુરંત રાહત-બચાવ કાર્ય કરવાના આદેશ આપ્યા છે. આ અકસ્માતમાં માતા, પતિ-પત્ની અને બે બાળકોના મોત થયા છે. પરિવારના પાંચેય સભ્યો સરાયમાં એક લગ્નમાં હાજરી આપી જૌનપુર પરત ફરી રહ્યા હતા. મૃતકોનું નામ વિકાસ, સુમ્મરી, દીવાના, લક્ષ્ની છે. જ્યારે એક બાળકની ઉંમર લગભગ આઠ મહિનાની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પ્રયાગરાજ હોસ્પિટલ મોકલી દીધા છે. આ ઉપરાંત પોલીસે ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરવાની સાથે ટ્રક પણ જપ્ત કર્યો છે. આ દુઃખદ અકસ્માત પ્રયાગરાજના ગંગાનગરના સોરાંવ પેટ્રોલ પાસે થયો હતો. બીજીતરફ મુખ્યમંત્રી આદિત્યનાથે મૃતક પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application