Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આચાર્યનાં ગંદા કૃત્યથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી : વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું

  • September 12, 2022 

ભરૂચમાં બનેલ એક એવી શર્મજનક ઘટના જેમાં આચાર્યનાં ગંદા કૃત્યથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની વિગત એવી છે કે, સરસ્વતિ વિધાલયમાં ધોરણ-10માં ભણતી એક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનો આચાર્ય વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાનુ સામે આવ્યું હતું. જોકે માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરતી હતી પણ વિદ્યાર્થિનીની હાલત એવી હતી કે, ના કોઇને કહેવાય કે પછી નાં સહેવાય જેવી થઈ ગઈ હતી. ત્યારે ગત તા. 30 ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.




તદ્દઉપરાંત શનિવારનાં રોજ પણ આચાર્ય દ્વારા શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થીની એકદમ ગભરાઈ ગઈ હતી અને આચાર્યની કેબિન માંથી ગભરાઈને બહાર દોડી આવી હતી અને પોતાની બહેનને ફોન કરતા તે પણ દોડી આવી પોતાની બહેન પર થતાં શારીરિક અત્યાચાર અંગેની ચોંકાવનારી વિગતો જાણી હતી. બનાવ અંગે વિદ્યાર્થિનીની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application