Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વમાં મોંઘવારી વધી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • May 03, 2022 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના વિદેશ પ્રવાસે છે. તેઓ સોમવારે જર્મની પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓેએ જર્મનીના ચાંસેલર અને ભારતીય મૂળના લોકોની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ મોદીએ રશિયા અને યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, યુક્રેન સંકટ શરૂ થયું તે પૂર્વે જ ભારતે શાંતિની અપીલ કરી દીધી હતી. કેમ કે અમારુ માનવું છે કે યુદ્ધથી દરેકનું નુકસાન થાય છે.



વધુમાં એમ પણ જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. વિશ્વમાં ફર્ટિલાઇઝર અને ખાદ્યાન્નની પણ અછત ઉભી થઇ રહી છે. જેનો બોજ વિશ્વના દરેક પરિવાર પર વધી રહ્યો છે. આ યુદ્ધથી વિશ્વભરમાં મોંઘવારી વધી છે. ભારત માનવીય મુદ્દાઓને લઇને ચિંતિત છે અમે યુક્રેનમાં માનવીય સહાય પણ મોકલી છે. જ્યારે યુદ્ધની શરૂઆત થઇ ત્યારે જ અમે શાંતિની અપીલ કરી દીધી હતી. આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મન સૈન્ય દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.



બાદમાં મોદીની મુલાકાત જર્મન ચાંસેલર સ્કોલ્ઝની સાથે થઇ હતી. જર્મની યુક્રેનના સમર્થનમાં છે અને રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલા હુમલાનો વિરોધ કરી રહ્યું છે. જર્મન ચાંસેલર સ્કોલ્ઝે બાદમાં કહ્યું હતું કે રશિયાએ આ યુદ્ધ ખતમ કરી દેવું જોઇએ. સરહદોને યુદ્ધના બળ પર ન બદલી શકાય. ભવ્ય સ્વાગત બદલ મોદીએ જર્મન સૈન્ય અને ચાંસેલરનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application